ઉત્તરપ્રદેશના હાથરસમાં 122 લોકોનાં મોતનો મામલો: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું- કોઈ પણ દોષિત હશે, તેને સજા મળશે; હાથરસ દુર્ઘટનાની તપાસની કરાઈ જાહેરાત
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan03072024_095748_Yogi.webp)
- 03 Jul, 2024
ઉત્તરપ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન ભાગદોડ થઈ હતી. આ ભાગદોડમાં 122 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જોકે દુર્ઘટના પછી નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબા ફરાર છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે હાથરસની મુલાકાત લીધી હતી. એમ કહેવાઈ રહ્યું છે કે પોલીસે સત્સંગના આયોજકોની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ દુર્ઘટનાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે તપાસની જાહેરાત કરતા કહ્યું કે આ મામલામાં જે પણ દોષી ઠરશે. તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાઈકોર્ટના રિટાયર્ડ જજના નિર્દેશનમાં એક કમિટીની રચના કરવામાં આવી રહી છે, જે મામલાની તપાસ કરશે.
સમાજવાદી પાર્ટીએ હાથરસના મામલામાં સવાલ કર્યા છે. તેમણે કહ્યું કે હાથરસ મામલામાં એક બાબા બીજા બાબાને બચાવી રહ્યાં છે. માત્ર સંસ્થા પર જ શાં માટે આરોપ નક્કી થયા છે. FIR બાબા પર શાં માટે થઈ નથી. ઉત્તરપ્રદેશના સહારનપુરથી કોંગ્રેસ સાંસદ ઈમરાન મસુદનું કહેવું છે કે તેઓ ગઈકાલે જ ઘટના સ્થળે ગયા હતા. તેમણે કહ્યું કે હું ત્યાં પહોંચનારો પહેલો વ્યક્તિ હતો. દ્રશ્ય ભયજનક હતું. કોઈ પણ પોતાના પરિવાર કે શબોને શોધી શકશે નહીં. હું ઘટના અંગે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને રિપોર્ટ આપીશ.